નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. આવા સમયે આપણે પોતે સાવચેતી રાખવી ખુબ જરૂરી બને છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11502 નવા કેસ જોવા મળ્યાં છે. જ્યારે એક જ દિવસમાં 325 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 332424 થઈ ગઈ છે. જેમાંથી 153106 એક્ટિવ કેસ છે જ્યારે 169798 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા 9520 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાથી સૌથી વધુ પાંચ પ્રભાવિત રાજ્યો
દેશમાં મહારાષ્ટ્ર (Maharashtra)  કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં કોરોનાના કુલ 107958 કેસ નોંધાયા છે જેમાંથી 53030 એક્ટિવ કેસ છે અને 50978 લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરાયા છે. 3950 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ (Tamilnadu)  આવે છે જ્યાં કોરોના વાયરસના કુલ 44661 કેસ છે. જેમાંથી 19679 એક્ટિવ કેસ છે અને 24547 લોકો સાજા થયા છે. જ્યારે 435એ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube