દિવાળી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર 5 દિવસો સુધી ચાલે છે. તેમાં ધનતેરસ, નરક ચતુર્થી, દીવાળી, ગોવર્ધન પૂજા અને બાઈબીજ આવે છે. જેમાં સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી મંદિરો અને ઘરોમાં રંગેબરંગી લાઈટિંગ્સ લાગી જાય છે. આંગણે રંગોળી બનાવાય છે. માર્કેટમાંથી લાવવામાં આવેલી નવી નવી વસ્તુઓથી ઘરને સજાવાય છે. દિવાળીમાં ઘરમાં અલગ પ્રકારની રોનક જોવા મળે છે. ત્યારે આ વર્ષે કયો તહેવાર કયા દિવસે આવે છે, તે જાણીને યોગ્ય રીતે પૂજા કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસ 5 નવેમ્બર
નાની દિવાળી - નરક ચતુર્થી - 6 નવેમ્બર
દિવાળી/લક્ષ્મી પૂજા - 7 નવેમ્બર
ન્યૂ યર (ગોવર્ધન પૂજા) - 8 નવેમ્બર
ભાઈબીજ - 9 નવેમ્બર 


પાંચેય દિવસોનું મહત્વ
ધનતેરસ
આ વખતે ધનતેરસ 5 નવેમ્બર, 2018ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નવા વાસણો, સોનાના સિક્કા, જ્વેલરી ખરીદવી શુભ માનવામાં આવે છે. ઘરો અને ઓફિસોની સફાઈ કરવાની સાથે તેને લાઈટિંગથી શણગારવામાં આવે છે.


નાની દિવાળી
નાની દિવાળીને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. નાની દિવાળી આ વખતે 6 નવેમ્બરના રોજ સેલિબ્રેટ કરાશે. આ દિવસે ખાસ કરીને મિત્રો અને સંબંધીઓને મિઠાઈ અને ગિફ્ટ્સ આપવામાં આવે છે. અનેક લોકો પોતાના ઘરમાં મીઠાઈ બનાવે છે.


દિવાળી
પાંચ દિવસ સતત ચાલનારા આ ઉત્સવમાં સૌથી મોટો તહેવાર દિવાળી હોય છે. જેનું મહત્વ ખાસ હોય છે. આ દિવસે લક્ષ્મી પૂજનનું વિધાન છે. માન્યતા છે કે, મા લક્ષ્મીની પૂજાથી ધનની સાથે સાથે વૈભવનું વરદાન પણ મળે છે. દિવાળી પૂજનમાં સૌથી પહેલા શ્રી ગણેશનું ધ્યાન કરો. તેના બાદ ગણપતિજીને સ્નાન કરાવો અને નવા વસ્ત્રો અને ફૂલ સમર્પિત કરો. તેના બાદ દેવી લક્ષ્મીનું પૂજન શરૂ કરો. મા લક્ષ્મી પ્રતિમાને પૂજા સ્થાન પર રાખો અને તેમની પ્રાર્થના કરો કે તેઓ ઘરમાં આગમન કરે. હવે લક્ષ્મીજીની સ્ના કરાવો. પહેલા જળ પછી પંચામૃત અને બાદમાં ફરીથી જળથી સ્નાન કરાવો. તેમને વસ્ત્ર અર્પિત કરો. બાદમાં આભૂષણ અને માળા પહેરાવો. હવે કુમકુમ તિલક લગાવો. દીપ પ્રગટાવીને માતાના ચરણોમાં ફૂલ અર્પિત કરો. તેના બાદ બિલી પાન પણ તેના પગ પાસે ધરાવો. 11 અથવા 21 ચોખા અર્પિત કરીને આરતી કરો. હવે તેમને ભોગ ધરાવો. આ વખતે દિવાળી પર સાંજે 5 વાગીને 57 મિનીટથી શરૂ થઈને 7 વાગીને 53 મિનીટ સુધીનું મુહૂર્ત છએ. આ દરમિયાન પરિવારના તમામ સદસ્યો એકસાથે મા લક્ષ્મીની પૂજા કરવી.


ન્યૂ યર (ગોવર્ધન પૂજા)
ગોવર્ધન પૂજા એટલે કે આપણે જેને ન્યૂ યર કહીએ છીએ. આ વર્ષે ન્યૂ યર 8 નવેમ્બરના રોજ ઉજવાશે. અનેક લોકો તેને અન્નકૂટના નામથી પણ જાણે છે. અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણના અવતાર બાદ દ્વાપર યુગથી પ્રારંભ થઈ હતી. તેમાં હિન્દુ ધર્માવલંબી ઘરના આંગણમાં ગાયના ગોબરથી ગોવર્ધનનાથજીની અલ્પના બનાવીને તેની પૂજા કરતા હતા. તેના બાદ ગિરીરાજ ભગવાન (પર્વત)ને પ્રસન્ન કરીને તેમને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવતો હતો. 


ભાઈબીજ
પાંચ દિવસો સુધી ચાલનારા તહેવારોમાં સૌથી છેલ્લો ભાઈબીજ છે. આ વખતે ભાઈબીજ 9 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ભાઈબીજનો તહેવાર બહેન અને ભાઈના પ્રેમનું પ્રતિક છે. આ તહેવાર રક્ષાબંધનની જેમ જ હોય છે. ફરક એટલો હોય છે કે, આ દિવસે રાખી બંધાતી નથી. પરંતુ બહેન તેના ભાઈની આરતી ઉતારે છે.