કોલકત્તાઃ અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી મચાવી છે. 160થી 180 કિલોમીટરની ઝડપે ફુકાયેલા પવને કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. કોલકત્તાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં આ તોફાનથી કેટલું નુકસાન થયું તેનો અંદાજ તો લગાવવાનો બાકી છે. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રાજ્યનો પ્રવાસ કરવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ કહ્યું કે, હજુ સ્થિતિ સારી નથી. હું પીએમ મોદી પાસે માગ કરુ છું કે તે અહીંનો પ્રવાસ કરે. હું પણ હવાઈ સર્વેક્ષણ કરીશ. પરંતુ સ્થિતિ સારી થાય તેની રાહ જોઈ રહી છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. 


સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, આજે પણ અમારી આવક શૂન્ય છે અને અમારે પડકારોનો સામનો કરવો પડશે. બંગાળમાં 72 લોકોના મૃત્યુ થયા છે. મમતા બેનર્જી પ્રમાણે કોલકત્તામાં 15, હાવડામાં 7, નોર્થ 24 પરગનામાં 17, ઈસ્ટ મિદનાપુરમાં 6, સાઉથ 24 પરગનામાં 18 અને હુગલીમાં બે લોકોના મોત થયા છે. 


અમ્ફાને પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, રાજ્યપાલે શેર કરેલા VIDEOમાં જોવા મળી ભયાનક સ્થિતિ


બંગાળમાં સૌથી વધુ નુકસાન
મહત્વનું છે કે બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન તોફાન પહોંચ્યું હતું. 160થી 180 કિમીની ઝડપે આવેલા તોફાને બંગાળ અને ઓડિશામાં નુકસાન કર્યું છે. કોલકત્તાના ઘણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. 6 કલાક સુધી ચાલેલા ઝડપી પવનોને કારણે કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. ચારે બાજી પાણી પાણી જોવા મળી રહ્યું છે. 


અમ્ફાનનો સૌથી વધુ કહેર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, મિદનાપુર અને કોલકત્તામાં રહ્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube