નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોવિડ-19ના 85.5 ટકા દર્દી અને દેશમાં મહામારીથી કુલ મોતમાંથી 87 ટકા મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ સહિત આઠ રાજ્યોથી છે. મંત્રાલયે કહ્યું કે, તેમણે શનિવારના કોવિડ-19 પર મંત્રીઓના ગ્રુપને દેશમાં મહામારીની સ્થિતિ અને તેનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રના આધારભૂત ઢાંચાને તૈયાર કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો પર જાણકારી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે એક નિવદેનમાં કહ્યું કે, આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે હાલ આઠ રાજ્ય- મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલગાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળથી કુલ દર્દીઓનો 85.5 ટકા ભાગ આવી રહ્યો છે. જ્યારે દેશમાં મહામારીથી થતું 87 ટકા મોતના આંકડા પણ આ રાજ્યોમાંથી નોંધાયા છે.


આ પણ વાંચો:- 1 જૂલાઈથી પેન્શન ફંડમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારે જાણવું જરૂરી


ભારતમાં શનિવારના એખ દિવસમાં સૌથી વધુ 18,555 કેસ સામે આવવાની સાથે જ કોરોના વાયરસ સંક્રમિતના કુલ કેસની સંખ્યા વધી 5 લાખને પાર કરી ગઈ છે. દેશમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 15,685 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, તેમણે મંત્રીઓના જૂથને તેમની 17મી બેઠક દરમિયાન મહામારીથી સાજા થતા દર્દીઓની સંખ્યા અને મૃત્યુની સંખ્યા સાથે સંક્રમણના કેસને બમણા થવાની સંખ્યા તથા વિવિધ રાજ્યોમાં તપાસની વધારવામાં આવતી સંખ્યા વિશે જાણકારી આપે.


તેમણે મંત્રીઓને જણાવ્યું કે, જન સ્વાસ્થ્ય જાણકારો, મહામારી જાણકારો, અને સંયુક્ત સચિવ સ્તરના વરિષ્ઠ અધિકારીઓના 15 કેન્દ્રીય દળને રાજ્યોની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે કેન્દ્રનું એક અન્ય દળ હાલ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલગાણાનો પ્રવાસ કરી ત્યાં કોવિડ-19 પ્રબંધન માટે કરવામાં આવેલા પ્રયાસોને મજબૂતી આપી રહ્યાં છે.


આ પણ વાંચો:- દિલ્હીને હચમચાવા અને ટાર્ગેટ કિલિંગનું ISIના ષડયંત્રનો પર્દાફાશ


મંત્રીઓને સંક્રમિત લોકોના સંપર્કમાં આવતા લોકોની ઓળખ અને સંભવિત હોટસ્પોટ વિસ્તારો વિશેમાં જાણકારી આપવામાં આઇટીઆઇએચએએસ અને આરોગ્ય સેતુ એપની ઉપયોગિતા વિશેમાં પણ જાણકારી આપવામાં આવી.


નિવેદનમાં કહ્યું કે, તેમણે મંત્રીઓને આ પણ જણાવ્યું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતત તે ક્ષેત્રો વિશે જાણકારી આપવામાં આવી રહી છે જેના પર ધ્યાન આપવું જોઇએ. આ ઉપરાંત રોકવા માટે કરવામાં આવેલા ઉપાયો, તપાસ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ, વૃદ્ધો અને પહેલાથી બીજી બીમારીનો સામનો કરી રહેલા લોકો પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી સંભવિત હોટસ્પોટને લઇને પહેલાથી કેવી તૈયારી કરવી છે તે વિશે પણ મંત્રાલયે રાજ્યોના સંપર્કમાં છે.


આ પણ વાંચો:- AAP નેતા સંજય સિંહની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?


મંત્રાલયે કહ્યું કે રાજ્યોને દર્દીઓની અવિરત ભરતી પ્રક્રિયા, અસરકારક ક્લિનિકલ મેનેજમેન્ટ, મૃત્યુદર ઘટાડવા, માળખાગત સુવિધા માટે સજ્જતા અને બિન-કોવિડ આરોગ્ય સેવાઓ અસર ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે તપાસની વ્યૂહરચના અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે સેરોલોજીકલ સર્વે અને વિવિધ તપાસ દ્વારા કરવામાં આવતા દૈનિક પરીક્ષણોની ક્ષમતા વધારવા વિશે પણ માહિતી આપી હતી.


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 2,20,479 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને દેશમાં અત્યાર સુધીમાં 79,96,707 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભાર્ગવે મંત્રીઓના જૂથને જણાવ્યું હતું કે ભારત પાસે હવે કોવિડ -19 ના પરીક્ષણ માટે 1,026 પ્રયોગશાળાઓ છે, જેમાંથી 741 સરકારની અને 285 ખાનગી ક્ષેત્રની છે.


આ પણ વાંચો:- જેપી નડ્ડાનો સોનિયા ગાંધીને સવાલ- 'જનતાના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને કેમ આપ્યા?'


મંત્રાલયે કહ્યું કે, સરકારને કહેવામાં આવ્યું હતું કે 27 જૂન સુધીના આંકડાઓ અનુસાર કોવિડ સંબંધિત સ્વાસ્થ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ત્યાં 1,039 સમર્પિત કોવિડ હોસ્પિટલો છે, જેમાં 1,76,275 પૃથક બેડ, 22,940 આઇસીયુ બેડ અને 77,268 ઓક્સિજન સુવિધાવાળા બેડનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત, ત્યાં 2,398 સમર્પિત કોવિડ સ્વાસ્થ્ય કેન્દ્રો છે, જેમાં 1,39,483 પૃથક બેડ, 11,539 આઇસીયુ બેડ અને 51,321 ઓક્સિજન સુવિધાવાળા બેડ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube