નવી દિલ્હી: ત્રિપુરા (Tripura) માં  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) નો વિરોધ કરી રહેલા ઈન્ડીજીનસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) પાર્ટીના એક પ્રતિનિધિમંડળે આજે સાંજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરીને આ જાણકારી આપી. જો કે નાગરિકતા બિલને લઈને ઉત્તર-પૂર્વમાં વિરોધ ચાલુ છે. ગુરુવારે પણ બિલના વિરોધમાં અનેક જગ્યાએ પ્રદર્શન થયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે આજે IPFTના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી જે ત્રિપુરામાં નાગરિકતા બિલનો વિરોધ  કરી રહ્યાં હતાં. નાગરિકતા બિલને લઈને તેમની ચિંતાઓ પર ચર્ચા કરી. મોદી સરકાર તેમના મુદ્દાઓનું સમાધાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. મેં આંદોલન ખતમ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....