Shraddha Murder Case: છેલ્લા કેટલાક દિવસથી શ્રદ્ધા મર્ડર કેસ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. પોતાની પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરનારા આફતાબ વિશે એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે શ્રદ્ધાને આરોપીથી લાંબા સમયથી જીવનું જોખમ હતું. તેની પુષ્ટિ પોલીસ ફરિયાદથી થઈ છે જે શ્રદ્ધાએ પોતે બે વર્ષ પહેલા પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ફરિયાદની એક્સક્લુઝિવ કોપી ઝી મીડિયા પાસે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020માં આપી હતી ધમકી, 2022માં કર્યા 'ટુકડાં ટુકડાં'
વર્ષ 2020માં શ્રદ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 'હું શ્રદ્ધા વિકાસ વોકર, આફતાબ અમીન પુનાવાલા વિરુદ્ધ ફરિયાદ કરવા માંગુ છું, જે હાલમાં બી-3-2, રીગલ એપાર્ટમેન્ટમાં રહે છે. જેણે આજે મને મારી નાખવાની કોશિશ કરી. તે હંમેશા મને ડરાવતો ધમકાવતો રહે છે કે તે મને મારી નાખશે, મારા ટુકડાં ટુકડાં કરીને ફેંકી દેશે. 6 મહિનાથી તે સતત મને મારતો રહે છે. પહેલા મારામાં પોલીસ પાસે જવાની હિંમત નહતી કારણ કે હું ખુબ ડરી ગઈ હતી. તેના પેરેન્ટ્સને આ અંગે જાણકારી છે. તે અમારા રિલેશનશીપ વિશે પણ બધુ જાણે છે. હું તેની સાથે રહી કારણ કે અમે લગ્ન કરવાના હતા, તેણે વચન આપ્યું હતું પરંતુ હવે હું આફતાબ સાથે રહેવા તૈયાર નથી. હું કોઈ પણ પ્રકારની શારીરિક યાતનાઓ વધુ સહન કરી શકું તેમ નથી. જ્યારે પણ તે મને ક્યાંય પણ દેખાય છે તો મને ઈજા પહોંચાડે છે.'



આ બધા વચ્ચે શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે આફતાબના પરિવારનું નિવેદન લીધુ છે. પોલીસે આફતાબના પરિવાર સાથે આફતાબ અને શ્રદ્ધાના સંબંધ વિશે પૂછપરછ કરી છે. 


આ વીડિયો પણ ખાસ જૂઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube