નવી દિલ્હીઃ વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો. મોડીરાતે 1.31 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું હતું જે સવારે 4.30 પૂર્ણ થયું હતું. ત્યારે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક માનવામાં આવે છે. તો આ ચંદ્રગ્રહણનો કઇ રાશિ પર કેવો પ્રભાવ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ થયું પૂર્ણ, હવે પછી છેક 2021માં જોવા મળશે


ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 16 જુલાઈની રાત્રે 1.31 કલાકે શરૂ થઇ અને 17 જુલાઈના રોજ સવારે 4.30 કલાકે સમાપ્ત થગું હતું. ચાલુ વર્ષનું આ અંતિમ ચંદ્રગ્રહણ હતું. આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક ચાલ્યુ હતું. આ આંશિક ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણની આ ખગોળીય પ્રક્રિયામાં રસ ધરાવતા લોકો માટે આ ખાસ તક હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...