નવી દિલ્હી: વર્ષ 2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકી હુમલાના દોષી અફઝલ ગુરૂના પુત્રએ ભારત સરકારથી પાસપોર્ટ આપવાની માગ કરી છે. અફઝલ ગુરૂના પુત્રનું કહેવું છે કે તેને વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ મળી રહી છે. પરંતુ પાસપોર્ટ ના હોવાના કારણે તે તેનો લાભ લઇ શકતો નથી. અફઝલ ગુરૂના પુત્રએ કહ્યું કે, તેમની પાસે આધાર કાર્ડ છે, તો પાસપોર્ટ પણ મળવો જોઇએ. સંસદ હુમલાના દોષી આતંકી અફઝલ ગુરૂને વર્ષ 2013 માં ફાસીની સજા આપવામાં આવી હતી.


સમાચાર એજનસી ANI સાથે વાત કરતા અફઝલ ગુરૂના પુત્ર ગાલિબ ગુરૂએ કહ્યું કે, ‘હું વિચારુ છું કે મને પાસપોર્ટ મળવો જોઇએ. કેમકે તુર્કીમાં મને સ્કોલરશિપ મલી રહી છે મેડિકલના અભ્યાસ માટે, જો મારી પાસે આધાર કાર્ડ છે તો મને પાસપોર્ટ કેમ ના મળવો જોઇએ. મને લાગે છે કે મને પાસપોર્ટ મળવો જોઇએ.’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...