નવી દિલ્હી: પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16ને તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ફરીથી લડાકુ વિમાન ઉડાવી શકશે. એવા સંકેત વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ સોમવારે પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન સવાલના જવાબમાં કહ્યું હતું. વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ કહ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન ફરીથી ઉડાન ભરી શકે છે કે નહીં તે તેમની મેડિકલ ફિટનેસ પર નિર્ભર છે. તેમણે કહ્યું કે જો આ કારણ છે કે તેમનું હાલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તેમને જે પ્રકારની સારવારની જરૂરીયાત હશે, તેમને તે બધા પ્રકારની સારવાર આપવામાં આવશે. તેમની યોગ્ય મેડિકલ ફિટનેસ રિપોર્ટ અમને મળ્યા બાદ તેઓ જલ્દી લડાકુ વિમાન ઉડાવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: એર સ્ટ્રાઇક પર નવજોત સિંહ સિદ્ધૂએ પૂછ્યું, PoKમાં 300 આતંકી માર્યા કે વૃક્ષ પાડ્યા?


પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સોમવારે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પણ પ્રેસ કોન્ફરેન્સ કરી હતી. તે દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘અમારુ કામ આતંકીઓના અડ્ડાઓને નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી. તે કામ સરકારનું છે.’


વધુમાં વાંચો: જો અમે જંગલમાં બોમ્બ ફેક્યા હોત તો પાક PM નિવેદન કેમ આપતા?: બીએસ ધનોઆ


જણાવી દઇએ કે પાકિસ્તાનની કેદમાંથી આઝાદ થઇને ભારત પરત ફરેલા વિંગ કામાન્ડર અભિનંદનને હાલમાં દિલ્હીમાં આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને એમઆરઆઇ સ્કેનમાં કોઇ ગંભીરતા સામે આવી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર તેમના સ્પાઇન હાડકાની નીચેના ભાગમાં સામાન્ય ઇજા સામે આવી છે. જે સંભવત: મિગ-21થી બહાર નીકળતા સમયે તેમને પહોંચી હશે. અભિનંનદને પાંસળીમાં પણ ઇજા પહોંચી છે.


વધુમાં વાંચો: અમારુ કામ આતંકીઓના અડ્ડા નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી: વાયુસેના પ્રમુખ


માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે તેઓ પૈરાસુટના સહારે ઉતર્યા તો પાકિસ્તાનના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ કારણે તેમને ઇજા પહોંચી છે. સુત્રોના અહેવાલ અનુસાર હાલમાં વિંગ કમાન્ડર અભિનંદન ઓછામાં ઓછા 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહશે. ત્યાં તેમના દરેક પ્રકારના જરૂરી ચેકઅપ કરરવામાં આવશે.


વધુમાં વાંચો: પાક સામે જંગમાં રાફેલ જરૂરી હતું, તો 5 વર્ષમાં કેમ ના લાવ્યા?: માયાવતી


વાયુસેના પ્રમુખે સોમવારે આ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર પર નિશાન સાધતા કહ્યું કે જો અમે કોઇ લક્ષ્ય સાધીએ છે, તો અમે તેને નષ્ટ કરી દઇએ છે. જો એવું ના થાય તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન આ એર સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા કેમ આપતા. જો અમે જંગલ પર બોમ્બ ફેંક્યા હોત, તો ઇમરાન ખાન તેની પ્રતિક્રિયા કેમ આપતા.


વધુમાં વાંચો: રાજસ્થાનમાં 15 વર્ષના બાળકે ઓછા ખર્ચે બનાવી અનોખી કાર


પીઓકેમાં જૈશની સામે એર સ્ટ્રાઇકમાં ઉપયોગ કરવામાં આવેલા લડાકુ વિમાન મિરાજ 21 બાઇસનના વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ સારા વિમાન ગણાવ્યા. તેમણે કહ્યું કે આ લડાકુ વિમાન સંપૂર્ણ રીતથી સક્ષમ છે. તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં સારી રડાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તે હવામાં જ હુમલો કરનાર મિસાઇલ પણ નિશાન સાધવામાં સક્ષમ છે. તેમાં સારી હથિયાર પ્રણાલી છે.


વધુમાં વાંચો: પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં 4 કલાક કર્યો ગોળીબાર, ભારતે આપ્યો સણસણતો જવાબ


વાયુસેનાના પ્રમુખે કહ્યું કે, ભારતીય વાયુસેના આતંકીઓની લાશની સંખ્યા વિષય પર સફાઇ આપવાની અત્યારે સ્થિતિમાં નથી. આ મામલે સફાઇ સરકાર આપી શકે છે. અમે મોતને ગણતા નથી. અમે માત્ર તેમના અડ્ડાઓની ગણતરી કરીએ છે, જે અમે નષ્ટ કર્યા હોય છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...