Morena Jet Crash: ભારતીય વાયુસેના (IAF) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રાજસ્થાનના ભરતપુરમાં તેમનું કોઈ હેલિકોપ્ટર ક્રેશ થયું નથી. તેમના તમામ હેલિકોપ્ટર સુરક્ષિત છે. શક્ય છે કે મધ્યપ્રદેશના મુરેનામાં પ્લેન ક્રેશ થયા બાદ આ એરક્રાફ્ટનો કાટમાળ ભરતપુરમાં પડ્યો હોય. જો કે, આ અંગે કોઈ કંન્ફોર્મ ન્યૂઝ નથી. એરફોર્સે ભરતપુરમાં પ્લેન ક્રેશ થયાની વાતને નકારી કાઢી છે. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા છે. આ ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. પીએમઓને અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. બંને વિમાનોએ એમપીના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. બાકીના બંને પાયલોટ સુરક્ષિત છે.


Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube