મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કાલ સુધી શિવસેના(Shivsena)ના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એવા અહેવાલો હતાં ત્યાં તો આજે સવારે આખી ગેમ જ પલટી ગઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા તો બીજી બાજુ એનસીપી(NCP) સુપ્રીમો શરદ પવાર(Sharad Pawar)ના ભત્રીજા અને દિગ્ગજ નેતા અજિત પવારે ભાજપ સાથે ભળીને ડેપ્યુટી સીએમના શપથ લીધા. રાતોરાત થયેલા સત્તાના આ ઉલટફેરે બધાને ચોંકાવી દીધા. જો કે ત્યારબાદ શરદ પવાર  દ્વારા કહેવાયું કે આ નિર્ણય અજિત પવાર(Ajit Pawar)નો છે, એનસીપીનો નથી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને આજે એનસીપીની એક મહાબેઠક યોજાઈ. જેમાં પાર્ટીના 54માંથી 42 ધારાસભ્યો પહોંચ્યા હોવાનું કહેવાય છે. આ બેઠકમાં અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યાં છે. અજિત પવારની જગ્યાએ જયંત પાટિલને વિધાયક દળના નેતા તરીકે પસંદ ચૂંટી કાઢવામાં આવ્યાં છે. 


મહારાષ્ટ્રમાં જબરદસ્ત ઉથલપાથલ, કાળઝાળ થયેલા શિવસેના-NCP અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટને શરણે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના વાઈબી ચૌહાણ સેન્ટરમાં એનસીપીની બેઠકમાં એનસીપી નેતા ધનંજય મુંડે પણ પહોંચ્યા હતાં. ધનંજય મુંડે એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં. આ બાજુ અજિત પવારને મનાવવાની કોશિશ ચાલુ છે. અજિત પવાર સાથે માત્ર 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે. NCPની આ બેઠકમાં પાર્ટીના 54 વિધાયકોમાંથી 42 પહોંચ્યા હતાં. 


NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'


આ બાજુ શિવસેનાના તમામ નારાજ, કોપાયમાન, ઉદાસ અને હતાશ ધારાસભ્યોને સાંત્વના આપવા અને તેમની હિંમત જાળવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરે લલિત હોટલ પહોંચ્યા હતાં. તેમણે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી. શિવસેનાના 56 વિધાયકો બેઠકમાં પહોંચ્યા હતાં. 4 અપક્ષ વિધાયકો પણ બેઠકમાં  ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. 


મહારાષ્ટ્રમાં પાછો ઉલટફેર! સવારે અજિત પવાર સાથે રહેલા ધનંજય મુંડે સાંજે NCP બેઠકમાં પહોંચ્યા


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કાલ સુધી શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એવા અહેવાલો હતાં ત્યાં તો આજે સવારે આખી ગેમ જ પલટી ગઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા તો બીજી બાજુ એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અને દિગ્ગજ નેતા અજિત પવારે ભાજપ સાથે ભળીને ડેપ્યુટી સીએમના શપથ લીધા. રાતોરાત થયેલા સત્તાના આ ઉલટફેરે બધાને ચોંકાવી દીધા. એવું કહેવાય છે કે રાજકારણના આ ઉલટફેરમાં સૌથી મહત્વપૂર્ણ બે ભત્રીજાઓ રહ્યાં. જેમાંથી એક છે એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને બીજા છે દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube