અલીગઢ: અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બર્બર હત્યાના મામલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક જણ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી કરી રહ્યાં છે. આ બધા વચ્ચે યુપી પોલીસે આ મામલે તપાસ માટે એસપી ગ્રામીણની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. મામલાએ તૂલ પકડ્યા બાદ પોલીસે  બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. હત્યાનો આરોપી જાહિદ પીડિત પરિવારનો પાડોશી હોવાનું કહેવાય છે. પૈસાને લઈને તેમની વચ્ચે વિવાદ થયો હતો. ટપ્પલમાં ગુરુવારે કચરાના ઢગલા નીચેથી 3 અઢી વર્ષની માસૂમ બાળકીનું ક્ષત વિક્ષત હાલતમાં શબ મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પહેલા માસૂમ બાળકીનું અપહરણ કરી લીધુ અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી. પિશાચ જેવા આ આરોપીઓને આટલેથી મન ન ભરાયું તો તેમણે તે માસૂમ બાળકીની આંખો પણ કાઢી લીધી. બાળકીનો મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. 


ભાજપના આ 3 મંત્રીઓ અચાનક સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કેમ?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...