નવી દિલ્હી: આંધ્રપ્રદેશના રાજકારણમાં અત્યારે મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. એવામાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના તમામ 24 મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) ને રાજીનામ સોપી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે જગન મોહન રેડ્ડી પોતાના મંત્રીમંડળની ફરીથી રચના કરવાના છે. નવા મંત્રીપરિષદની રચના 11 એપ્રિલના રોજ કરવામાં આવી શકે છે. 


આ મુદ્દે મુખ્યમંત્રીએ બુધવારે રાત્રે રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન સાથે બેઠક કરી હતી, જેમાં મંત્રી પરિષદના પુનર્ગઠન પર ચર્ચા કરવામાં આવી. 


આગામી ચૂંટણી પર નજર
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજીનામા બાદ નવેસરથી જગન મોહન રેડ્ડી કેબિનેટની રચના કરશે. આ મંત્રીઓની પસંદગી 2024 વિધાનસભાની ચૂંટણી જોતાં કરવામં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube