નવી દિલ્હી: કર્ણાટકની કુમારસ્વામી સરકાર હાલ સંકટમાં છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના 12 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ સાથે જ તેમાંથી 11 ધારાસબ્યો હાલ મુંબઈ પણ પહોંચી ગયા છે. આ સંકટ દરમિયાન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજે અમેરિકાથી પાછા ફરી રહ્યાં છે. ભારત પાછા ફર્યા બાદ તેઓ આ સંકટમાંથી ઉગરવા માટે ફોર્મ્યુલા પર વિચાર કરશે. આવામાં કર્ણાટકમાં વિધાનસભાનું સમગ્ર રાજકીય ગણિત પણ સરકાર માટે ખુબ મહત્વ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ટપોટપ પડી રહ્યાં છે રાજીનામા, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદ છોડ્યું


આ છે કર્ણાટક વિધાનસભાનું હાલનું રાજકીય ગણિત...


1. વિધાનસભામાં સ્પીકર સાથે કુલ સીટો 225.


2. બહુમતનો આંકડો 113 છે. સ્પીકરને બાજુમાં મૂકીએ તો કુલ સીટ 224 છે. 


3. ભાજપ પાસે 105 બેઠકો છે. કોંગ્રેસ પાસે 79, જેડીએસ પાસે 37, બસપા પાસે 1, અપક્ષ 1 અને 1 નોમિનેટેડ (મતાધિકાર નથી).


જુઓ LIVE TV


શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-'ટીકા કરનારાઓ રાષ્ટ્ર વિરોધી કહેવાય છે'


8. બહુમત માટે 107 ધારાસભ્યોની જરૂર પડશે. જે હાલ ગઠબંધન સરકાર પાસે નથી. જો કે ભાજપ પાસે પણ 105 ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં ભાજપ પણ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. પરંતુ જો 3 વધુ ધારાસભ્યો રાજીનામા આપે તો વિધાનસભાની સંક્યા ઘટીને 209 થશે. ગઠબંધનને સમર્થન આપનારા ધારાસભ્યો 103 થશે. 


9. આવી હાલતમાં 105 ધારાસભ્યો સાથે ભાજપની સરકાર બની શકે છે. એક અપક્ષ ધારાસભ્યે હાલમાં જ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો હતો. આવામાં કોંગ્રેસની સ્ટ્રેન્થ 79 થઈ ગઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...