શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી કેટલાક દિવસમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સ્થાનિક તંત્રએ ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. ભારે વરસાદના કારણે જમ્મુ અને શ્રીનગર વચ્ચે ભૂસ્ખલનની પણ સંભાવના છે. બાલતાલ અને પહેલગાંવમાં વરસાદના કારણે યાત્રાના બંને માર્ગો લપસણા બની ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ જવાના કારણે બુધવારે અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ હતી. અત્યાર સુધી છેલ્લા 30 દિવસમાં લગભગ 3.30 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરી ચૂક્યા છે. પોલીસે જણાવ્યું કે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ જવાના કારણે ભગવતી નગર યાત્રી નિવાસથી શ્રદ્ધાળુઓને આગળ જવા દેવામાં આવ્યા નથી. 


મોદી કેબિનેટનાં નિર્ણયોઃ કાશ્મીરમાં અનામતને મંજુરી, સુપ્રીમમાં વધી ન્યાયાધિશોની સંખ્યા 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....