નવી દિલ્હી: આતંકી હુમલાના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે. આમ તો અમરનાથ યાત્રા 15 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના રોજ પૂરી  થવાની હતી પરંતુ તેને 14 દિવસ પહેલા જ અટોપી લેવાઈ છે. એક જુલાઈથી શરૂ થયેલી આ અમરનાથ યાત્રા દરમિયાન 2 ઓગસ્ટ સુધીમાં કુલ 3.43 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. શુક્રવારના રોજ  પ્રશાસન તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી સાથે જ 704 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતાં. હવે અમરનાથ યાત્રીઓ પ્રશાસનની એડવાઈઝરી બાદ કાશ્મીર ખીણથી પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્મી એરિયામાં વેલ્ડિંગ મિસ્ત્રીનું કામ કરતા હતા યુવકો, સેનાની માહિતી મેળવી સરહદપાર મોકલતા


અત્રે જણાવવાનું કે ભારતીય સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના માર્ગ પાસેથી પાકિસ્તાનમાં બનેલી બારૂદી સુરંગ અને અમેરિકી સ્નાઈપર રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત દૂરબીન અને આઈઈડીની સાથે જ વિસ્ફોટકોનો એક ગુપ્ત ભંડાર મળ્યો છે. સેનાના ટોચના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે અમરનાથ યાત્રા માર્ગ પર ચલાવવામાં આવેલા વ્યાપક સર્ચ ઓપરેશનમાં ગોળા બારૂદ મળી આવ્યાં છે. 


ચિનાર કોર્પ્સ કમાન્ડર, લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંમેલનમાં કહ્યું કે વ્યાપક સર્ચ બાદ પાકિસ્તાનની ફેક્ટરીમાં બનેલી બારૂદી સુરંગ, ટેલિસ્કોપ સાથે જ એક સ્નાઈપર રાઈફલ, ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી), આઈઈડી કન્ટેઈનર, આઈઈડીની સાથે એક રિમોટ કંટ્રોલ મળી આવ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...