Ambedkar Jayanti 2023: બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14 એપ્રિલે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ બાબાસાહેબ આંબેડકર તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. ભારતમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભીમરાવ આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષમય હતું. ભારતની આઝાદી બાદ તેમણે દેશના બંધારણના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા હતા.


ડો. ભીમરાવ આંબેડકર એક રાજકારણી, અર્થશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક અને સમાજ સુધારક હતા જેમણે જાતિ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો અને દલિત સમુદાયના અધિકારો માટે લડ્યા હતા. ડૉ. આંબેડકર શિક્ષણ દ્વારા સમાજના કમજોર, મજદૂર અને મહિલા વર્ગને સશક્ત બનાવવા માંગતા હતા.


આ પણ વાંચો:
લિફ્ટમાં રોકાઇ ગયા 8 લોકોના શ્વાસ! 1.5 કલાક સુધી ફસાઇ રહી સોસાયટીની લિફ્ટ
Gold Price: સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર, 10 ગ્રામનો ભાવ સાંભળીને તમે દંગ રહી જશો
લો બોલો! ટ્રાફિક પોલીસની જેમ હવે AMC નું એસ્ટેટ ખાતુ પણ વાહનોને લોક મારી જશે


આંબેડકર જયંતિનો ઈતિહાસ
જનાર્દન સદાશિવ રણપિસે આંબેડકરના પ્રખર અનુયાયી અને સામાજિક કાર્યકર હતા. તેમણે પૂણેમાં 14 એપ્રિલ, 1928ના રોજ પ્રથમ વખત ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી હતી. તેમણે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી અને ત્યારથી ભારત દર વર્ષે 14 એપ્રિલે આંબેડકર જયંતિને જાહેર રજા હોય છે.


આંબેડકર જયંતિનું મહત્વ
આંબેડકર જયંતિનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તે જાતિ આધારિત કટ્ટરતા તરફ ધ્યાન દોરે છે, જે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા સમાજમાં યથાવત છે. આ દિવસની ઉજવણી કરીને આપણે વંચિતોના ઉત્થાનમાં બાબાસાહેબના યોગદાનને યાદ કરીએ છીએ. તેમણે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો જે જાતિ, ધર્મ, જાતિ અથવા સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. આંબેડકરે અસ્પૃશ્યોના મૂળભૂત અધિકારો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય સંસ્થા, બહુષ્કૃત હિતકારિણી સભાની રચના કરી તેમજ દલિતોને જાહેર પીવાના પાણીનો પુરવઠો અને હિંદુ મંદિરોમાં પ્રવેશવાનો અધિકાર આપવા માટે આંદોલન પણ કર્યુ..


આ પણ વાંચો:
આ 2 ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન, પણ કોઈએ ન કર્યો નોટિસ
WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મગજમાં નશીલી દવાઓની જેમ અસર કરે છે ઈન્ટરનેટનો નશો, બાળકો-યુવાનો બની રહ્યા છે શિકાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube