મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે  લાઉડસ્પીકર વિવાદ બાદ ચર્ચામાં છે. હવે મનસે ચીફે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પ્ર લખ્યો છે. રાજ ઠાકરેએ ટ્વિટર પર પણ પત્ર પોસ્ટ કરી ઠાકરે સરકારને નિશાને લીધી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, અમારા ધૈર્યની પરીક્ષા ન લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસે અધ્યક્ષે આ પત્ર મરાઠી ભાષામાં લખ્યો છે. પત્ર શેર કરતા તેમણે મરાઠીમાં ટ્વીટ કર્યુ- કોઈ સત્તાનું તામપત્ર લઈને આવ્યું નથી. સત્તા આવતી-જતી રહે છે. કોઈ એક વ્યક્તિ પાસે ટકતી નથી. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે તમારી પાસે પણ સત્તા હંમેશા રહેવાની નથી.


પંજાબની સુરક્ષા માટે માન સરકાર હાનિકારક, કોંગ્રેસે કેન્દ્રના દખલની કરી માંગ


મનસે પ્રમુખે આગળ લખ્યું છે- સંદીપ દેશપાંડે સહિત તમામ કાર્યકર્તાઓને પોલીસ શોધી રહી છે, આ બરોબર નથી. તમામ મરાઠી ભાઈ-બહેન આ વાત જોઈ રહ્યાં છે. કોઈ સત્યનું તામપત્ર લઈને આવ્યું નથી. તમે પણ લઈને આવ્યા નથી. અમારા ધૈર્યની પરીક્ષા લો નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube