નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 75 દિવસમાં કરી બતાવ્યું. 


જીંદના એકલવ્ય સ્ટેડિયમમાં ભાજપ તરફથી આયોજિત આસ્થા રેલીમાં અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યું કે મોદીજીએ ક્યારેય વોટબેંકની લાલચ કરી નથી. ભાજપે 370 મતો મેળવી કલમ 370 હટાવી. કલમ 370 હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે જે પથ્થર હતો તે હવે હટી ગયો છે અને મોદીજીના નેતૃત્વમાં હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ વિકાસના રસ્તે આગળ વધશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...