બીરભૂમ: ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે બીરભૂમ પહોંચ્યા. ગૃહમંત્રી બીરભૂમના શાંતિ નિકેતન પહોંચ્યા. તેમણે ત્યાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી.ગૃહમંત્રી અમિત શાહ ભારતી વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં પણ સામેલ થયા. અમિત શાહ વિશ્વભારતીથી નીકળીને બપોરે લોક ગાયક બાસુદેવના ઘરે પહોંચ્યા. 


અમિત શાહ વિશ્વભારતીથી નીકળીને બપોરે લોક ગાયક બાસુદેવના ઘરે પહોંચ્યા હતાં. અત્રે જણાવવાનું કે બાસુદેવ પ્રસિદ્ધ બાઉલ ગાયક છે. બાઉલ ગાન બંગાળની સંસ્કૃતિ રહી છે. જેના કાયલ તો ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર પણ હતા. અમિત શાહ તેમના ઘરે લંચ પર પહોંચ્યા. ભોજન અગાઉ બાસુદેવે શાહને ગીત સંભળાવ્યું. લંચમાં મગની દાળ, આલુ પોસ્તો પીરસવામાં આવ્યા. માટીના વાસણોમાં બનેલા ભાત અમિત શાહને પીરસાયા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube