અમૃતસર: અમૃતસરના નિરંકારી ભવનમાં એક ધાર્મિક કર્યક્રમમાં ભેગા થયેલા લગભગ 200 શ્રદ્ધાળુઓને તે સમયે જેમનો જીવ બચાનવીને ભાગવું પડ્યું હતું, જ્યારે ત્યાં રવિવારે મોટરસાઇકલ પર સવાર બે શખ્સો દ્વારા એક ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. નિરંકારીઓ પર થયેલા હુમલા બાદ ઘટનાના દ્રશ્યોને યાદ કરતા સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેઓ ગભરાટમાં અને વધુ આઘાત છે. તેમણે જણાવ્યું હતું કે અમૃતસરની બહારના વિસ્તારમાં આવેલા આ ભવનમાં ગ્રેનેડ ફેંકવામાં આવતા પહેલા સુધી આ રવિવારની સામાન્ય સભા હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃતસરમાં નિરંકારી ભવન પર એટેકને DGPએ આતંકવાદી હૂમલો ગણાવ્યો


ભવનની અંદર હાજર એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ‘મેં વિસ્ફોટ બાદ ઘટના સ્થળ પર લોહી જોયું હતું. પરંતુ મેં હુમલાખોરને જોયો ન હતો.’ ગુરપ્રીત સિંહ નામના એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે તે ભવનની પાસે જ રહે છે. તમણે કહ્યું કે ‘જ્યારે હું ત્યાં પહોંચ્યો, મે જોયું કે ઘાયલ લોકોને એમ્બ્યૂલન્સોમાં હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે.’


અમૃતસરના નિરંકારી ભવનમાં મોટો ગ્રેનેડ હુમલો, 3ના મોત, અનેક ઘાયલ


એફઆઈઆર નોંધવામાં આવી
આ મામલામાં અત્યાર સુધીમાં એક એફઆઇઆર નોંધવામાં આવી છે. સ્થળના મુખ્ય ગેટ પર તૈનાત નિરંકારી પંથના સ્વયંસેવક ગગનના નિવેદન પર આ એફઆઇઆર નોંધવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ હુમલામાં મુખ્ય ઉપદેશક સહિત ત્રણના મોત થયા છે અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. અમૃતસરના રાજાસાંસીની નજીક આવેલા અદલીવાળા ગામમાં નિરંકારી ભવનમાં નિરંકારી ધર્મની ધાર્મિક સભા દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. આ સ્થળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...