નવી દિલ્હી/ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશમાં 3 જુનના રોજ તુટી પડેલા ભારતીય વાયુસેનાના વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોનાં અવશેષોને શુક્રવારે આસામના જોરહાટ એરબેઝ ખાતે લઈ જવામાં આવશે. વાયુસેનાએ જણાવ્યું કે, મૃતકોના અવશેષોને જોરહાટ એરબેઝ સુધી પહોંચાડવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે AN-32 વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઈસ રેકોર્ડર પણ શોધી કાઢ્યું હતું. આ સાથે જ દુર્ઘટનાસ્થળેથી આ વિમાનમાં સવાર તમામ 13 લોકોનાં મૃતદેહના અવશેષોને પણ એક્ઠા કર્યા હતા. બ્લેક બોક્સ મળી જતાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેનું સાચું કારણ જાણવા મળી શકે છે. 


લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના 


AN-32ના પાઈલટની પત્ની જોરહાટમાં ATC ખાતે ડ્યુટી પર હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તુટ્યો હતો 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....