નવી દિલ્હી : પોતાનાં નિવેદનો મુદ્દે હંમેશા સમાચારોમાં રહેતાનારા કેન્દ્રીય રોજગાર અને કૌશલ વિકાસ મંત્રી અનંત કુમાર હેગડે એકવાર ફરીથી ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, જો કોઇ હિંદુ યુવતીને કોઇ સ્પર્શે છે તો તે હાથનું અસ્તિત્વ જ ખતમ થઇ જવું જોઇએ. તેઓ કર્ણાટકનાં કોડાગુમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગાની સફાઇ માટે PM મોદીની 1900 ગીફ્ટ્સની નિલામી, સૌથી સસ્તી બોલી 100 રૂપિયા

કેન્દ્રીય મંત્રી અનંત કુમારે પોતાનાં ભાષણમાં કહ્યું કે, આપણે પોતાનાં સમાજની પ્રાથમિકતાઓ અંગે પુનર્વિચાર કરવો પડશે. આપણે જાતી અંગે ન વિચારવું જોઇે. જો કોઇ હિંદુ યુવતીને કોઇ સ્પર્શે છે, તો તેનાં હાથનું અસ્તિત્વ ન રહેવું જોઇએ. વર્ષ 2017માં કોપ્પલ જિલ્લાનાં કુકનૂરમાં એક કાર્યક્રમ દરમિયાન હેગડેએ કહ્યું હતું કે, લોકો ધર્મનિરપેક્ષ શબ્દથી એટલા માટે સંમત છે, કારણ કે આ સંવિધાનમાં લખ્યું છે. તેને (સંવિધાન) ઘણુ પહેલા બદલી દેવામાં આવવું જોઇતું હતું અને હવે આપણે તેને બદલવા જઇ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું, જે લોકો પોતાની જાતને ધર્મનિરપેક્ષ કહે છે, તેઓ માતા-પિતાના જન્મ જેવું છે. 


યોગી પહેલા પાકને સાંઢથી બચાવે, રામ મંદિર મુદ્દો સુપ્રીમ જોઇ લેશે: અખિલેશ@કુંભ

કેન્દ્રીય મંત્રી હેગડેએ તત્કાલ ઉભા થઇને કહ્યું કે, તેમની સંવિધાન, બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર અને સંસદમાં સંપુર્ણ નિષ્ટા છે. આ અંગે તેમને કોઇ પણ શંકા નથી. કોઇના અંગે તેમની નિષ્ઠા ઘટી શકે તેમ નથી.