પોર્ટ બ્લેયરઃ કોરોના મહામારી સામે લડાઈ વચ્ચે ભારત દેશની સુરક્ષાને પણ પડકારની જેમ જોઈ રહ્યું છે. સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે ભારત રક્ષા ક્ષેત્રમાં મજબૂતી હાસિલ કરી રહ્યું છે. ભારતે આજે અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહથી બ્રહ્મોસ સુપસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેના દ્વારા આ દિવસોમાં ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યાં બુધવારે કરવામાં આવેલ મિસાઇલ પરીક્ષણ પણ તે પ્રોગ્રામ અંતર્ગત હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળ્યું કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સપાટીથી સપાટી સુધી વાર કરવાનો ટેસ્ટ 300 કિલોમીટરની સ્ટ્રાઇક રેન્જ સુધી સફળ રહ્યો. તો હવે ભારતીય વાયુ સેનાની પાસે મિસાઇલના લેન્ડ અને હવા સંબંધિત વાર કરનાર બંન્ને વર્ઝન હાજર છે. 


કોરોનાના વધતા કેસ વચ્ચે ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, 1 ડિસેમ્બરથી થશે લાગૂ

ડીઆરડીઓ છેલ્લા કેટલાક સમયથી ઘણી નવી અને હાલની મિસાઇલ સિસ્ટમ સહિત શૌર્ય મિસાઇલ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં સફળ રહ્યું છે. મહત્વનું છે કે ભારત, ચીન અને પાકિસ્તાનની સાથે સરહદ પર જારી તણાવ વચ્ચે પોતાની શક્તિમાં વધારો કરવામાં લાગ્યું છે. ભારત સતત ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube