નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે પાકિસ્તાન પર રહેલી સીમા નજીક રહેલા સૈન્ય કર્મચારીઓને વાયુસેનાની સાથે સમન્વયથી કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટેના નિર્દેશ આપ્યા છે. જનરલ રાવતે જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા અગ્રીમ સ્થળોમાં કેટલીક સીમા ચોકીઓની મુલાકાત બાદ આ નિર્દેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીકે હરિપ્રસાદનું વિવાદિત નિવેદન: પુલવામા મુદ્દે મોદી-ઇમરાન વચ્ચે મેચ ફિક્સિંગ

મુલાકાત દરમિયાન સેના પ્રમુખે હાલની સુરક્ષા સ્થિતી અને કોઇ પણ ઘનાની સ્થિતીમાં સેનાની તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી. સેનાએ કહ્યું કે, સેના પ્રમુખે પાકિસ્તાનનાં કોઇ પણ નાપાક મનસુબાઓ નિષ્ફળ કરવા માટે સેનાની ક્ષમતામાં પોતાનો સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. 


લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી

એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તેમણે સૈનિકોનાં ઉંચા મનોબળની સરાહના કરી અને કોઇ પણ સ્થિતીઓને પહોંચી વળવા માટે વાયુસેનાની સાથે નજીકના સમન્વયથી હંમેશા તૈયાર રહેવાનાં નિર્દેશ આપ્યા છે. રાજસ્થાનમાં જનરલ રાવતે બાડમેર અને સુરતગઢ જેવા અગ્રિમ સ્થળોની મુલાકાત લીધા. 


વાયુસેનાનું મોટુ નિવેદન, પાકિસ્તાન સામે કોઇ પણ પ્રકારના ખતરાને ખાળવા અમે તૈયાર

પાકિસ્તાને કોઇ પણ પ્રકારના ખતરાને પહોંચવા માટે અમે તૈયાર વાયુસેના
ભારતીય વાયુસેના (IAF)એ ગુરૂવારે કહ્યું કે પાકિસ્તાને કોઇ પણ પ્રકારનાં ખતરાને પહોંચી વળવા માટે અમારી ઉચ્ચ સ્તરની તૈયારીઓ છે. પાકિસ્તાનનાં નાગરિક ઉડ્યન પ્રાધિકરણનાં એક દસ્તાવેજનાં હવાલાથી આઇએએફએ કહ્યું કે, પાડોશી દેશ ન માત્ર ઓમાન, અફઘાનિસ્તાન અને ચીનની સાથે પોતાનાં હવાઇક્ષેત્રને ખોલ્યું છે અને ભારત-પાકિસ્તાન હવાઇ ક્ષેત્રની નજીક આવેલ 11 પ્રવેશ અને નિકાસ બિંદુ હજી પણ બંધ છે. આઇએએફએ એક નિવેદનમાં કહ્યું કે, હાલનાં સુરક્ષા પરિદ્રશ્યમાં કોઇ પણ ખતરાની આશંકાને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓ ઉચ્ચ સ્તરની છે.