જમ્મૂ: લગભગ 6 હજાર શ્રદ્ધાળુઓ મંગળવારના ચુસ્ત સુરક્ષા વચ્ચે જમ્મૂથી અમરનાથ માટે રવાના થયા. આ પહેલા સોમવારના વાર્ષિક તીર્થયાક્ષાના પહેલા દિવસે 8000થી વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં બાબ બર્ફાનીની પૂજા અર્ચના કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Solar Eclipse 2019: આજે થશે પૂર્ણ સૂર્ય ગ્રહણ, અહીં જોવા મળશે અદ્ભુત નજારો


પોલીસે કહ્યું કે, કુલ 2239 શ્રદ્ધાળુ સુરક્ષા સહિત એક કાફલામાં ભગવતી નગર યાત્રી નિવાસથી 3:05 વાગે બાલટાલ બેઝ કેમ્પ માટે રવાન થયા, જ્યારે 3670 વહેલી સવારે 4:25 વાગે સુરક્ષા કાફલામાં પહેલગામ કેમ્પ માટે રવાના થયા છે.


મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત


હવામાન વિભાગે ચોક્કસ આગાહી માટે ગુફા સુધી પહોંચતા બંને રસ્તાઓ પર હવામાનની આગાહી વ્યક્ત કરતું ઉપકરણ લગાવ્યું છે.


મંગળવારની આગાહી અનુસાર, રસ્તા પર હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની સંભાવના છે અને ગુફની આસપાસનું તાપમાન લગભગ 5 ડિગ્રી સેલ્સયસ રહેવાની સંભાવના છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...