અયોધ્યાઃ દેશમાં લાગૂ લૉકડાઉન 4.0 વચ્ચે મળેલી છૂટ બાદ ઘણા ભાગમાં નિર્માણ કાર્ય શરૂ થઈ ગયા છે. નિયમો પ્રમાણે નિર્માણકાર્યો ચાલી રહ્યાં છે આ વચ્ચે અયોધ્યમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે. તંત્રની મંજૂરી બાદ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાનું કામ શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન કંઇક એવું થયું કે બધા ચોકી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં જમીન સમતોલ કરવા દરમિયાન ઘણી જૂની મૂર્તિઓ મળી, ટ્રસ્ટ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અહીં શિવલિંગ, મૂર્તિ અને કેટલોક અન્ય સામાન જમીનમાંથી મળ્યો છે. મૂર્તિઓ મળવાની સાથે દાવાઓ શરૂ થયા તો સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર રહી ચુકેલા લોકોના નિવેદનો આવવાના પણ શરૂ થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર