નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી. હાલ કેજરીવાલ હોમ આઈસોલેશનમાં છે. અત્રે જણાવવાનું કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દિલ્હીમાં સોમવારે કોરોનાના નવા 4099 નવા દર્દીઓ નોંધાયા છે. અહીં સંક્રમણ દર હવે 6.46 ટકા પહોંચી ગયો છે. 


સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મને કોરોના સંક્રમણ થયું છે. લક્ષણો હળવા છે. હાલ પોતાની જાતને હોમ આઈસોલેટ કરી છે. જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ પોતાને આઈસોલેટ કરી લે અને કોરોના ટેસ્ટ કરાવે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube