Asaram Bapu Successor Name: આસારામ બાપુ જેમને એક સમયે તેમના ભક્તો દ્વારા આટલું માન-સન્માન આપવામાં આવતું હતું, તેમને ભગવાન પણ માનતા આસારામ બાપુની કડવી વાસ્તવિકતા 10 વર્ષ પહેલા સામે આવી હતી. બળાત્કારનો આરોપ, દોષિત પુરવાર થયો અને જેલના સળિયા પાછળ પહોંચી ગયા. આસારામે જેલવાસના 10 વર્ષ પૂરા કર્યા છે. જ્યારે આસારામ બહાર હતા ત્યારે તેમણે પોતાના કાળા કારોબારથી કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. સેંકડો આશ્રમો, દુકાનો, શાળાઓ આસારામની મિલકત અંદાજે 10,000 કરોડ રૂપિયાની છે. આસારામે જેલમાં ગયા બાદ આ સંપત્તિને સંભાળવાની જવાબદારી ભારતી દેવીને આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી


કોણ છે ભારતી દેવી જે આસારામના સમગ્ર બિઝનેસ પર નજર રાખે છે?
હકીકતમાં આસારામની સાથે આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. તેના પર મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરવાનો અને બાળકોની હત્યા કરવાનો પણ આરોપ છે. ભારતી દેવી આસારામના તમામ આશ્રમોની દેખભાળ કરી રહી છે. ભક્તો ભારતી દેવીને ભારતીશ્રીના નામથી ઓળખે છે. ઉંમર 44 વર્ષ. ક્યારેક સફેદ ઝભ્ભામાં તો ક્યારેક ફૂલોથી શણગારેલા મેક-અપમાં તે ભક્તો વચ્ચે પ્રવચન આપે છે.


Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર


ભારતી દેવી કેવી રીતે બની 10 હજાર કરોડ રૂપિયાની માલિક?
ભારતી દેવી આસારામની પુત્રી છે. આસારામ અને નારાયણ સાંઈ જેલમાં ગયા પછી ભારતી દેવીએ સમગ્ર આસારામ ટ્રસ્ટની જવાબદારી સંભાળી લીધી. આસારામના દેશભરમાં 400થી વધુ આશ્રમો છે. અહીં 1500 થી વધુ સેવા સમિતિઓ, લગભગ 17 હજાર બાલ સંસ્કાર કેન્દ્રો અને 40 ગુરુકુલ છે. ભારતી દેવી છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ મિલકતો સંભાળવાનું કામ કરી રહી છે. જો કે, વર્ષ 2018 માં, જ્યારે આસારામ બાપુને પહેલા બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે તેમની પુત્રીએ તેમનાથી પોતાને દૂર કરી લીધા હતા. ભારતી દેવીએ તે સમયે કહ્યું હતું કે તેને આસારામ બાપુના આશ્રમો સાથે કોઈ લેવાદેવા નથી.


વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે ખેડૂતો જમીનમાં નહી હવામાં કરશે બટાકાની ખેતી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


પતિથી છૂટાછેડા બાદ સંભાળ્યો આસારામનો બિઝનેસ 
ભારતી દેવીનો જન્મ વર્ષ 1975માં થયો હતો. તેણીએ આશ્રમમાં જ દીક્ષા લીધી હતી અને નાનપણથી જ પિતા સાથે પ્રવચન પણ આપતી હતી. ભારતીએ વર્ષ 1997માં એક ડોક્ટર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ભારતી દેવી અને તેમના પતિ વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. થોડા સમય પછી બંને અલગ થઈ ગયા અને પછી ભારતી દેવીએ પિતાનો બિઝનેસ સંભાળવાનું શરૂ કર્યું.


Part Time Jobs : આ 10 પાર્ટ ટાઈમ જોબ્સ છે સૌથી ઉત્તમ! કમાણીનું પણ નહીં રહે ટેન્શન
Lizards: ગરોળી ભગાડવાના 6 રામબાણ ઉપાય, ટ્રાય કર્યા બાદ પાડોશીને પણ આપશો ટિપ્સ
Chanakya Niti:આફતને અવસર બદલવા આ 3 લોકોનો સપોર્ટ જરૂરી, કોઇ વાળ પણ વાંકો નહી કરી શકે


ભારતી દેવી પર ઘણા ગંભીર આરોપો 
પિતા આસારામ બાપુ અને ભાઈ નારાયણ સાંઈની જેમ ભારતી દેવી પણ ગંભીર આરોપોનો સામનો કરી રહી હતી. આ આરોપો અનુસાર, ભારતી દેવી તેના પિતાના આશ્રમમાં છોકરીઓને ડ્રોપ કરતી હતી. પિતાની ઈચ્છા મુજબ તે છોકરીઓને આશ્રમમાં લઈ જવાતી હતી. આસારામના એક શિષ્યએ ભારતી દેવી પર આ આરોપો લગાવ્યા હતા. અમૃત પ્રજાપતિએ કહ્યું હતું કે આસારામ ભારતીને ફોન કરતો હતો અને તે કારમાં છોકરીઓને લઈને આવતી હતી.


Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો

Nimbu Paani: દિવસની શરૂઆતમાં કેમ પીવું જોઇએ લીંબુ પાણી? જાણી લો આ 5 કારણો


છોકરીઓને આશ્રમમાં મોકલવાના આક્ષેપો થયા હતા
વર્ષ 2013માં ભારતી દેવીની સાથે તેની માતા લક્ષ્મીબેનનું નામ પણ રેપ કેસમાં સામે આવ્યું હતું. આ કેસમાં બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પુરાવાના અભાવે બંનેને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતી દેવીની માતા પણ તેમને આ સમગ્ર વ્યવસાયમાં મદદ કરે છે.


પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો
Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચમાં થશે મોટા ફેરફાર, આ નવા નંબર પર બેટીંગ કરી શકે છે વિરાટ કોહલી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube