નવી દિલ્હીઃ લાફાકાંડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. મંગળવારે દિલ્હી સચિવાલયમાં કેજરીવાલ પર કોઈ વ્યક્તિએ લાલ મરચાનો પાઉડર ફેંક્યો છે. અચાનક થયેલી આ ઘટનાથી કેજરીવાલ ચોંકી ગયા હતા જ્યારે સુરક્ષા અધિકારીઓ હચમચી ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ આરોપીને પકડી લઈને તેની પુછપરછ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સાથે મારામારી


[[{"fid":"190628","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રાથમિક માહિતી અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાલ મરચાનો પાઉડર નાખનારા વ્યક્તિનું નામ અનિલ શર્મા છે. તે દિલ્હીના નારાયણા વિસ્તારનો રહેવાસી છે. સચિવાલયના અંદર કેજરીવાલ પર લાલ મરચું ફેંકવા દરમિયાન અનિલ અને પોલીસ વચ્ચે મારામારી પણ થઈ હતી. અત્યારે પોલીસે તેને એટકમાં લઈને વધુ પુછપરછ શરૂ કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલ પર અગાઉ પણ એક વ્યક્તિએ લાફા વડે હુમલો કર્યો હતો.