નવી દિલ્હી: અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠમાં 16મા દિવસની સુનવણીમાં શુક્રવારે પુર્ણ થઇ. આ દરમિયાન શિયા વકફ બોર્ડે કહ્યું કે, અલ્હાબાદ હાઇકોર્ટે એક તૃતિયાંશ હિસ્સો મુસ્લિમોને આપ્યો હતો, ન કે સુન્ની વકફ બોર્ડને. અમારો ત્યાં દાવો બનતો છે અને અમે તેને હિંદુઓને આપવા માંગીએ છીએ. આ ઓરીજનલી અમારો છે અને આ હિસ્સો અમે હિંદુઓને આપવા માંગીએ છીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ રામ જન્મભુમિ પુનરુદ્ધાર સમિતીની તરફથી વરિષ્ઠ વકીલ પી.એન મિશ્રાએ પોતાના તરફથી દલિલો રજુ કરતા નમાજ પઢવાની પદ્ધતી અંગે જણાવ્યું. વકીલ પી.એન મિશ્રાએ હદીસનો હવાલો ટાંકતા કહ્યું કે, તેમાં લખ્યું છે કે, પેગમ્બર મોહમ્મદે કહ્યું કે ઘંટડી વગાડીને નમાજ પઢી શકાય નહી કારણ કે આ શૈતાનનું ઇન્સ્ટ્રુમેન્ટ્ છે. ઘંટડી વગાડીને ફરિશ્તાઓ તે ઘર કે સ્થળ પર નથી આવતા. આ પ્રકારે ઘંટડી વગાડ્યા વગર જ મંદિરમાં પુજા કરી શકાય નહી. 


અયોધ્યા મામલાને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં 16માં દિવસની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં હિન્દુ પક્ષોની દલીલો પૂરી થાય તેવી આશા છે. રામ જન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વરિષ્ઠ વકીલ પીએન મિશ્રાએ પોતાની દલીલ શરૂ કરતા નમાજ પઢવાના તરીકાઓ ગણાવ્યાં. વકીલ પીએન મિશ્રાએ હદીસનો હવાલો આપતા કહ્યું કે તેમાં લખ્યું છે કે પેગમ્બર મોહમ્મદે કહ્યું છે કે ઘંટ વગાડીને નમાજ પઢી શકાય નહીં. કારણ કે તે શેતાનનું ઈન્સ્ટ્રુમેન્ટ છે. ઘંટી વગાડવાથી ફરિશ્તા તેમના ઘર કે જગ્યા પર પહોંચતા નથી. આ જ રીતે ઘંટ વગાડ્યા વગર મંદિરમાં પૂજા પણ કરી શકાય નહીં. 


પીએન મિશ્રાએ જણાવ્યું કે ઈબ્ર એ બતુતાએ પોતાના ભારત પ્રવાસ પર કહ્યું છે કે તેઓ એ જોઈને સ્તબ્ધ રહી ગયા કે તમામ મસ્જિદોમાં ઘંટ વગાડાતો હતો, ઘંટ વગાડીને પૂજા કરાઈ રહી હતી. તેમણે હદીસના સહીહ અલ  બુખારીનો  હવાલો આપતા કહ્યું કે પેગમ્બર મોહમ્મદે કહ્યું છે કે હિન્દુ અને મુસલમાનોના બે અલગ અલગ કબીલા એક સાથે એક જ જગ્યા પર રાખી શકાય નહીં. 


અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'


15મા દિવસે શું થયું હતું સુનાવણીમાં?
આ અગાઉ ગુરુવારે જસ્ટિસ બોબડેએ પીએન મિશ્રાને ત્રણ પોઈન્ટ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું. પહેલો એ કે ત્યાં એક સ્ટ્રક્ચર હતું જે અંગે કોઈ વિવાદ નથી? પણ શું તે સ્ટ્રક્ચર મસ્જિદ છે કે નહીં તે વિવાદ છે. આ સ્ટ્રક્ચર કોઈને સમર્પિત હતું? તેનો જવાબ આપતા પીએન મિશ્રાએ  કહ્યું હતું કે 1648માં શાહજહાનું શાસન હતું અને ઔરંગઝેબ ગુજરાતનો શાસક હતો. તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આપત્તિ વ્યક્ત કરી હતી. રાજીવ ધવને કહ્યું હતું કે અત્યાર સુધી 24 વાર મિશ્રા સંદર્ભની બહાર જઈને કિસ્સા કહાનીઓ સંભળાવી ચૂક્યા છે. 


દેશ ઝડપથી બદલાઈ રહ્યો છે, ન્યૂ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી: પીએમ મોદી


જેના પર જસ્ટિસ ચંદ્રચૂડે  કહ્યું હતું કે તેઓ પોતાના તથ્યો રજુ કરી રહ્યાં છે પરંતુ તેમણે મિશ્રાને એમ પણ કહ્યું કે ફક્ત સંદર્ભ જણાવો. પીએન મિશ્રાએ કહ્યું હતું કે ફક્ત કોર્ટ મને ગાઈડ કરી શકે છે, મારા સાથી વકીલ નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે તથ્યો રજુ કરવા માટે તમે સ્વતંત્ર છો. તમે તમારો પક્ષ રજુ કરો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...