નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચમાં અયોધ્યા કેસની 26 મી દિવસની સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસના સૂચનાઓની પૃષ્ઠભૂમિમાં તમામ પક્ષકારોએ કેસ અંગે તેમની દલીલોની સમયમર્યાદા જણાવી હતી.વકીલ રાજીવ ધવને કહ્યું કે, મુસ્લિમ પક્ષકારોને હાલમાં અને આગામી સપ્તામાં તેમની દલીલો પૂર્ણ કરવાનો સમય લાગશે. હિન્દુ પક્ષકારોએ કહ્યું કે, તેના પર ક્રોસ દલીલ માટે અમને 2 દિવસ લાગશે. ધવને કહ્યું કે, ત્યારબાદ મને પણ 2 દિવસ લાગશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમને લોકોને સમયમર્યાદા આપવામાં આવી છે. જેથી આશા છે કે, 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષકારો કોર્ટ સમક્ષ તેમની દલીલો પૂરી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Video: 4 વર્ષના બાળકની ચોરી કરવા આવ્યો ચોર, પરિવારની ઉડી ગઇ ઊંઘ ને પછી...


તેના પર સીજેઆઇએ કહ્યું કે, તમામ પક્ષ તેમની દલીલો 18 ઓક્ટબર સુધીમાં પૂરી કરે. તેમણે સંકેત આપ્યો કે, જો સમય ઓછો રહેશે તો આપણે દરરોજના 1 કલાક વધારે અથવા શનિવારે પણ આ મામલે સુનાવણી કરી શકીએ છે. તેમણે કહ્યું કે, આપણે એક સાથે પ્રયત્ન કરવો જોઇએ કે આ સુનાવણી 18 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય. આ રીતે, જો સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે, તો સુપ્રીમ કોર્ટને 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ (સીજેઆઈ) રંજન ગોગોઇ નિવૃત્ત થાય તે પહેલાં પોતાનો ચુકાદો લખવા અને જાહેર કરવા માટે એક મહિનાનો સમય મળશે.


આ પણ વાંચો:- મુંબઈ: પૈસા ઉધાર ન આપતા 4th ક્લાસના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકની કરી હત્યા


મધ્યસ્થતાનો મામલો
આ સાથે જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ અંગે મધ્યસથી પર કહ્યું હતું કે, મધ્યસ્થી માટે એક પત્ર મળ્યો છે. સીજેઆઇએ કહ્યું કે, જો પક્ષો પરસ્પર વાટાઘાટો કરવા ઇચ્છે છે તો વાયાઘાટ કરીને કોર્ટ સમક્ષ મુકો. સીજેઆઇએ કહ્યું કે, મધ્યસ્થતા કરી શકાય છે. સીજેઆઇએ કહ્યું કે, ગુપ્તતામાં મધ્યસ્થી કરવામાં આવશે.


આ પણ વાંચો:- Video: ભારતીય સેનાએ વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો કર્યો પર્દાફાશ


મધ્યસ્થતા પર સુપ્રિમ કોર્ટે એવું પણ કહ્યું કે, સુનાવણી ઘણી આગળ પહોંચી ગઇ છે. તેને રોકી શકાય નહીં. કોઇ પક્ષ મધ્યસ્થતા દ્વારા ઉલેકવાનો પ્રયત્ન કરવા ઇચ્છે છે તો તે કરી શકે છે. પરંતુ તેને ગોપનીય રાખવામં આવશે. મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટને જાણકારી મોકલી જણાવ્યું હતું કે, કેટલાક પક્ષ તેને આને ચાલુ રાખવા ઇચ્છે છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...