અયોધ્યા: અયોધ્યા રામ મંદિર જમીન વિવાદ કેસ (Ayodhya case) મામસે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. CJI સાથે UPના ઉચ્ચ અધિકારીઓની બેઠક પૂર્ણ થઇ છે. અયોધ્યા મામલે સુનાવણી કરી રહી રહેલા અન્ય જજ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. અંદાજે એક કલાક કરતાં વધુ સમય ચાલેલી આ બેઠકમાં જજોએ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. અધિકારીઓથી સૂચનો પણ લેવાયા હતા. એ પણ જાણવા પ્રયાસ કરાયો કે એમને કોર્ટ તરફથી કેવા પ્રકારના સહયોગની અપેક્ષા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા વિવાદ (Ayodhya dispute) ચૂકાદાની ઘડીઓ જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ અયોધ્યાની સુરક્ષા (Ayodhya Security) વધારાઇ રહી છે. અયોધ્યાની પંચકોસી પરિક્રમા (Panchkosi Parikrama) સમાપ્ત થતાં જ શ્રી રામલાલ માર્ગ ની ગલીઓમાં બેરિકેડિંગ લગાવીને રસ્તો રોકી દેવાયો છે. મુખ્ય માર્ગો પર પણ પોલીસ બેરિકેટ્સ લગાવી બાજ નજર રાખી રહી છે. નગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઇ છે. 


 


લેટેસ્ટ ન્યૂઝ જાણો LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube