મનમીત ગુપ્તા, અયોધ્યાઃ સમાજમાં ગણિકાઓ (નગરવધુઓ)ને સામાજિક દાયરામાં બેસવાનો અધિકાર નથી અને સમાજ તેમની સાથે અસ્પૃશ્યતાપૂર્ણ વ્યવહાર કરે છે ત્યારે પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુએ ધાર્મિક નગરી અયોધ્યામાં એ જ ગણિકાઓને મંજની બાજુમાં બેસાડીને પ્રમુખ સ્થાન આપીને તેમનું સન્માન કર્યું છે. કથાવાચક મોરારી બાપુએ પોતાની કથાની શરૂઆત પણ ગણિકાઓના પ્રસંગથી કરી હતી. મોરારી બાપુના મંચની બાજુમાં જ્યાં શ્રીમંતો, અધિકારીઓ અને અયોધ્યાના ધારાસભ્યો બેઠા હતા ત્યાં જ ગણિકાઓના બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રામચરિત માનસની કથાનો રસ પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુના મોઢેથી સાંભળવા માટે દેશના અનેક વિસ્તારોમાંથી ગણિકાઓ આવી હતી. મોરારીબાપુના આહ્વાન પર ગણિકાઓ અયોધ્યા પહોંચી હતી. અત્યારે ભક્ત માલના બગીચામાં કથાવાચક મોરારીબાપુની કથા ચાલી રહી છે. 


જસદણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન : બાવળીયા બોલ્યા-આ તો ટ્રેલર છે ફિલ્મ હવે બાકી છે


ગુજરાતના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...