નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરમાં છે. મંદિર નિર્માણને લઈને રામની નગરી અયોધ્યામાં હલચલ પણ તેજ થઈ ગઈ છે. રામ મંદિરના પાયામાં ચાંદીની ઈંટ રાખવામાં આવશે. તેની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. ફૈઝાબાદથી ભાજપના સાંસદ લલ્લૂ સિંહે તેને લઈને ટ્વીટ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લલ્લૂ સિંહે ચાંદીની ઈંટની તસવીરને શેર લખ્યુ કે, આ મારૂ સૌભાગ્ય રહેશે કે આ પવિત્ર ઇંટને પ્રધાનમંત્રી દ્વારા સ્થાપિત કરવા સમયે મને પ્રાંગણમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. મહત્વનું છે કે ચાંદીની આ અનોખી ઇંટનું વજન 22 કિલો 600 ગ્રામ છે. 


Ram Mandir Bhoomi Pujan: મુહૂર્ત-તૈયારીઓ-કાર્યક્રમથી લઈ મહેમાનોના લિસ્ટ સુધી, 10 Update


અત્રે જણાવવાનું કે રામંદિરના ભૂમિપૂજનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હલચલ વધી રહી છે. દેશભરમાં મંદિર નિર્માણમાં સહયોગ આપવા માટે ગતિવિધિઓમાં તેજી આવી છે. ભૂમિ પૂજન માટે પવિત્ર નદીઓના જળ અને તીર્થ સ્થળોની પવિત્ર માટીને લાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. 


જુઓ LIVE TV


 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube