બલિયા: રેવતી થાના ક્ષેત્રના દુર્જનપુરમાં થઇ હત્યાના કેસમાં પોલીસે વધુ એક નામજદ આરોપી નરેન્દ્ર પ્રતાપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. નરેન્દ્ર પણ મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહનો ભાઇ છે. અત્યાર સુધી આ કેસમાં આઠ નામજદ આરોપીઓમાંથી પોલીસે 2 નામજદ અને 5 અજ્ઞાત આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારી તેની જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે જિલ્લા રેવતી થોલીસ ક્ષેત્રના દુર્જનપુર ગ્રામમાં ગુરૂવારે સરકારી સસ્તા ગલ્લાના દુકાનની પસંદગી દરમિયાન એક વ્યક્તિની થયેલી હત્યાના કેસમાં સબ ઇંસ્પેક્ટર સહિત નવ પોલીસ કર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જિલાધિકારી હરિ પ્રસાદ શાહીએ જણાવ્યું કે કેસના આરોપીઓના હથિયારના લાઇસન્સને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 


સંજય કુમાર યાદવે શુક્રવારે જણાવ્યું હતું કે રેવતી થોલીસ મથક ક્ષેત્રના દુર્જનપુર ગામમાં સરકારી સસ્તા ગલ્લાની દુકાનની પસંદગી દરમિયાન થયેલી ઘટનામાં લાપરવાહી વર્તવાના કેસમાં રેવતી પોલીસમથકમાં તૈનાત સબ ઇંસ્પેક્ટર, સૂર્યકાંત પાંડેય, સદાનંદ યાદવ તથા કમલા સિંહ યાદવ સહિત છ અન્યને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube