નવી દિલ્હી: ભારત પોતાની શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ 31 જાન્યુઆરી, 2022 સુધી સ્થગિત રાખશે. એવિએશન રેગ્યુલેટરી બોડી DGCAએ ગુરુવારે આ જાણકારી આપી. કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન  (Omicron)  પર વધતી જતી ચિંતાઓ વચ્ચે DGCA એ 1 ડિસેમ્બરે નિર્ણય લીધો હતો કે તે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને 15 ડિસેમ્બરથી ફરીથી શરૂ ન કરવાનો નિર્ણય લીધો હતો. તેના એક અઠવાડિયા પહેલા જ જાહેરાત કરી હતી કે તે સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરશે.


કાર્ગો પ્લેન પર નહી લાગૂ થશે આદેશ
DGCA એ ગુરુવારે જણાવ્યું હતું કે, "ભારતમાંથી આવનાર અને જનાર આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન 31 જાન્યુઆરી, 2022 ના રોજ 11:59 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સસ્પેન્શન તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો પ્લેનના સંચાલન અને ખાસ કરીને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. ડીજીસીએએ જણાવ્યું હતું કે, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટેની પરવાનગી સક્ષમ અધિકારી દ્વારા દરેક કેસના આધારે પસંદ કરાયેલ રૂટ પર આપવામાં આવી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube