નવી દિલ્હી :તહેવારોના દેશ ભારતમાં સોમવાર એટલે કે 10 જૂનના રોજ બટુક ભૈરવ જયંતી ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓના અનુસાર, બટુક ભૈરવ જયંતીના દિવસે જે પણ વ્યક્તિ વિધી-વિધાનથી પૂજા કરે છે. તેની રાશિમાં રાહુ અને કેતુ હંમેશા શાંત રહે છે અને તેઓ હંમેશાથી જ દુશ્મનોને પરાજિત કરવામાં સફળતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીને કારણે ગીરના સિંહોને ગોરખપુર ઝૂ મોકલવાની તારીખ લંબાવાઈ


શિવ મંદિર જઈને પૂજા કરો
બટુક ભૈરવ જયંતીના દિવસે સવારે ગંગાજળ નાંખીને સ્નાન કરો. તેના બાદ સફેદ વસ્ત્ર ધારણ કરો. ભૈરવ દેવને સફેદ ફૂલ, કેળા, લાડુ, તુલસીના પાન અને પંચામૃત ચઢાઓ. મંત્ર જાપ ‘ॐ बटुक भैरवाय नमः’ કરો. કૂતરાને દૂધ જરૂરથી ચઢાવજો. 


ગુજરાત સરકારે વેકેશન ન લંબાવતા ઓરેન્જ એલર્ટ વચ્ચે શરૂ થઈ શાળાઓ


દૂધથી આ ઉપાય કરો
જ્યોતિષાચાર્યના અનુસાર, દૂધ ચંદ્રનું પ્રતિક હોય છે. બટુક ભૈરવાના દિવસે કાચા દૂધને શિવલિંગ પર અર્પિત કરવામાં આવે તો તમામ ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરી શકાય છે. આ દિવસે તમામ લોકો, જેમને પણ ઈચ્છીત નોકરી નથી મળી રહી, વિવાહમાં બાધા થઈ રહી છે કે પ્રમોશન નથી મળી રહ્યો કે, આવાસથી લઈને વ્યાજ માટે પરેશાન થઈ રહ્યું છે. તેના માટે આ દિવસ વિશેષ શુભ યોગ લઈને આવ્યો છે. અધિક માસમાં જો કોઈ વિશેષ પૂજન કરવાથી રહી ગયું છે, તો તેમણે આજના દિવસે મહાદેવજીને દૂધ અર્પિત કરીને પોતાની તમામ ઈચ્છાઓ પૂરી થાય તે માટે પ્રાર્થના કરવી જોઈએ.