બેગૂસરાય: બિહારના બેગૂસરાયમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયર બ્રાંડ નેતા ગિરિરાજ સિંહએ નવજોત સિંહ સિદ્ધૂના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. આરોપ લગાવતા-લગાવતા તેમણે વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે રાહુલ ગાંધીની સરખામણી મોહમ્મદ અલી ઝિન્ના સાથે કરી છે. ગિરિરાજ સિંહએ કહ્યું કે રાહુલ ગાંધી વિચારશીલ ષડયંત્ર અંતર્ગત ભારતને તોડવા માટે ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: TMC ધારાસભ્યનું વિવાદિત નિવેદન, કાર્યકર્તાઓને કહ્યું- ‘સુરક્ષાદળો પર કરો હુમલો’


ગિરિરાજ સિંહએ કહ્યું કે, તેના માટે રાહુલ ગાંધી પટકથા લખી રહ્યાં છે. તેના અંતર્ગત પહેલા સિદ્ધૂનું પાકિસ્તાનમાં બાઝવાથી ગળે મળવું. ગિરિરાજ સિંહએ કહ્યું કે, ‘કેરળમાં રાહુલ ગાંધીના નામાંકનમાં જે દર્શ્યો હતા, તે ભારતના નહોતા લાગી રહ્યાં હતા. ત્યાં કોંગ્રેસ ક્યાંય દેખાઇ રહી ન હતી. ના કોંગ્રેસનો ધ્વજ દેખાઇ રહ્યો હતો. ત્યાં પાકિસ્તાનનો ધ્વજ હતો કે નહીં, પરંતુ પાકિસ્તાનના દ્રશ્ય જરૂર હતા.’


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


PM મોદીએ ગુજરાતવાસીઓ પ્રતિ વ્યક્ત કરી સંવેદના, કમલનાથે કહ્યું- ‘તમે સમગ્ર દેશના પીએમ છો’


તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીએ ભારતને તોડવાનું મન બનાવી લીધું છે, તો દેશની જનતા તેનો મુહતોડ જવાબ આપશે. ગિરિરાજ સિંહએ કહ્યં કે, કેરળમાં રાહુલનું નામાંકન, પાકિસ્તાનમાં બાઝવાથી ગળે મળવું અને સિદ્ધૂનું કટિહારમાં નિવેદન આ ત્રણેય ઘટના જણાવે છે કે, આ વિચારશીલ ષડયંત્ર અંતર્ગત ભારતને તોડવા માટે ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યાં છે.