ચંદીગઢ; પંજાબમાં મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કર્યા બાદ ભગવંત માન એક્શનમાં આવી ચૂક્યા છે અને ધડાધડ એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. હવે તેમણે જાહેરાત કરી છે કે રાજ્યની જનતા માટે એક સૌથી મોટો નિર્ણય લેવાના છે. ભગવંત માનને ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ પંજાબની જનતા માટે મોટો નિર્ણય કરવાના છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


આવો નિર્ણય કોઈએ લીધો નહી હોય: ભગવંત માન
પંજાબી અને હિન્દીમાં કરવામાં આવેલા ટ્વીટમાં ભગવંત માને જણાવ્યું છે કે, 'પંજાબની જનતાના હિતમાં આજે બહુ મોટો નિર્ણય લેવામાં આવશે. પંજાબના ઈતિહાસમાં આજ સુધી કોઈએ આવો નિર્ણય લીધો નથી હોય. હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube