નવી દિલ્હી: ભીમ આર્મી (Bhim Army) ચીફ ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad)એ કહ્યું છે કે આગામી 10 દિવસમાં દેશભરમાં 5000 વધુ શાહીન બાગ (Shaheen Bagh) જેવા પ્રદર્શન સ્થળ હશે. અત્રે જણાવવાનું કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA), એનઆરસી(NRC) વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી પ્રદર્શન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે સાંજે શાહીનબાગ પહોંચેલા આઝાદે કહ્યું કે સીએએ એક કાળો કાયદો છે જે ધાર્મિક આધારે લોકોમાં ભેદભાવ કરે છે. આઝાદે કહ્યું કે હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જે લોકો આ પ્રદર્શનમાં સામેલ થયા છે. આ કોઈ રાજકીય પ્રદર્શન નથી. આપણે આપણા બંધારણ અને એક્તાની રક્ષા કરવી પડશે. 


ધરણા પર બેઠેલી મહિલાઓને આઝાદે કહ્યું કે દિલ્હીની રેકોર્ડતોર્ડ ઠંડી પણ આ મહિલાઓનું મનોબળ તોડી શકી નથી. પોતાના હાથમાં બંધારણ લેતા આઝાદે કહ્યું કે હું તમને વચન આપું છું કે આગામી કેટલાક દિવસોમાં દેશભરમાં 5000 શાહીન બાગ થશે. 

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...