ભુવનેશ્વર: સંબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની કથિત રીતે તપાસ કરવા બદલ ચૂંટણી પંચે ઓડિશાના જનરલ પર્યવેક્ષકને બુધવારે સસ્પેન્ડ કરી દીધા. પંચ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, કર્ણાટક કેડરના 1996 બેચના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિને એસપીજી સુરક્ષા સંલગ્ન ચૂંટણી પંચના નિર્દેશનું પાલન કર્યું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE લોકસભા ચૂંટણી 2019: કનિમોઝી, કુમારસ્વામી અને સ્ટાલિને કર્યું મતદાન, ત્રિપુરામાં એક પણ મત ન પડ્યો


ઘટનાના એક દિવસ બાદ લીધું એક્શન
જિલ્લા કલેક્ટર અને ડીજીપીના રિપોર્ટના આધારે પંચે સંબલપુરના જનરલ પર્યવેક્ષકને ઘટનાના એક દિવસ બાદ સસ્પેન્ડ કરી દીધા. આ ઘટના મંગળવારે 16 એપ્રિલના રોજ ઘટી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સંબલપુરમાં વડાપ્રધાનના હેલિકોપ્ટરની તપાસ એ ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ નહતું. એપ્રિલ 2014માં બહાર પાડેલા નિર્દેશો મુજબ એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકોને આવી તપાસમાંથી છૂટ મળેલી હોય છે. 


લોકસભા ચૂંટણી 2019: શરૂઆતના 2 કલાકમાં બિહારની 5 સીટો માટે બમ્પર વોટિંગ, આંકડો જાણીને ચોંકશો


બે દિવસમાં માંગ્યો રિપોર્ટ
મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે ધર્મેન્દ્ર શર્માને સંબલપુર મોકલ્યા છે. તેમને આ મામલે વિસ્તૃત તપાસ કરીને બે દિવસમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...