પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યમંત્રીની ખુરશીના સવાલ પર નીતીશે ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. સીએમ બનવાના સવાલ પર નીતીશ કુમરે કહ્યુ કે, મેં મુખ્યમંત્રી બનવાનો દાવો કર્યો નથી. તેના પર નિર્ણય એનડીએમાં સામેલ પાર્ટીઓ કરશે કે બિહારના મુખ્યમંત્રી કોણ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા તેમણે કહ્યું હતું કે, જનતાએ એનડીએને બહુમત આપ્યો છે અને અમે સરકાર બનાવીશું. શપથ ગ્રહણને લઈને તેમણે કહ્યું કે, તેમનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી કે શપથ ગ્રહણ દિવાળી બાદ કે છઠ્ઠ પછી થશે. અમે પરિણામની સમીક્ષા કરી રહ્યાં છીએ. સહયોગી ચાર પાર્ટીઓના નેતા કાલે બેઠક કરશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube