વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના બે દિવસના પ્રવાસે છે. 26 એપ્રિલના રોજ તેઓ ઉમેદવારી પત્રક ભરતા પહેલા આજે મેગા રોડ શો કરશે. આ બધા વચ્ચે ભારતના મશહૂર શહનાઈ વાદક ભારત રત્ન બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર વર્ષ 2014ની ભૂલ સુધારશે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં જે થયું તે બિસ્મિલ્લાહ પરિવાર દોહરાવશે નહીં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આખો બિસ્મિલ્લાહ પરિવાર પીએમ મોદી સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


સદભાવનાનો સંદેશો આપવા માંગે છે
શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે કહ્યું કે જો  પીએમ મોદી અમને પ્રસ્તાવક બનાવશે, તો સદભાવનાનો પૈગામ જશે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં અમે નરેન્દ્ર મોદી માટે પ્રસ્તાવક બનવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. પરંતુ આ વખતે અમે પીએમ મોદીના પ્રસ્તાવક બનવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પાંચ વર્ષોમાં ખુબ વિકાસ કર્યો છે. 


CM યોગી, કેજરીવાલ અને મોહન ભાગવત જૈશના નિશાના પર, મંદિરો-રેલવે સ્ટેશનો ઉડાવવાની પણ ધમકી


કોંગ્રેસના નેતાઓ પર લગાવ્યો આરોપ
અત્રે જણાવવાનું કે ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહ પીએમ મોદીને પત્ર લખીને તેમના નામાંકનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું હતું કે 2014માં અમારું બ્રેનવોશ કરાયું હતું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...