નવી દિલ્હી: દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને તેમના વ્યક્તિગત નંબર ઉપર કોઈએ એસએમએસ કરીને મારી નાખવાની ધમકી આપી છે. એસએમએસ મોકલનારાએ લખ્યું છે કે તે નેતાની હત્યા કરવા માટે વિવશ છે. તિવારીએ કહ્યું કે આ અજાણ્યા વ્યક્તિએ જરૂર પડ્યે વડાપ્રધાનની પણ હત્યા કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે મેં પોલીસને આ અંગે જાણકારી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ધરખમ ફેરફાર!, આ દિગ્ગજ નેતા લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા


હિન્દીમાં મોકલવામાં આવેલા આ એસએમએસમાં મોકલનારાએ આ વાત માટે માફી પણ માંગી છે કે તેણે મજબુરીમાં તિવારીની હત્યાનો નિર્ણય લેવો પડ્યો છે. દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી નીલકાંત બક્ષીએ જણાવ્યું કે આ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવશે. 


તેમણે જણાવ્યું કે તિવારીના પર્સનલ ફોન પર શુક્રવારે બપોરે 12 વાગે ને 52 મિનિટ પર આ એસએમએસ આવ્યો હતો. તેમણે આ એસએમએસ શનિવારે સાંજે જોયો અને તરત પોલીસને તેની જાણ કરી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...