મુંબઈ/કોલકાતા: બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય હિંસા વચ્ચે મમતા બેનર્જીએ ત્રીજીવાર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ મમતા બેનર્જીએ કહ્યું કે અત્યાર સુધી આચાર સંહિતાના કારણે કાયદો વ્યવસ્થા ચૂંટણી પંચ જોઈ રહ્યું હતું પરંતુ હવે હિંસા રોકવી અમારી પ્રાથમિકતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંસા વિરુદ્ધ ભાજપના ધરણા
આ બધા વચ્ચે કોલકાતા સહિત દેશના અનેક રાજ્યોમાં બંગાળ હિંસા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન ચાલુ છે. મુંબઈમાં પણ ભાજપ કાર્યકરોએ ધરણા ધરીને ટીએમસીનો વિરોધ કર્યો અને પોતાના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. પાર્ટી વિધાયક આશીષ શેલારે આ દરમિયાન મમતા બેનર્જીને ખૂની ગણાવ્યાં. 


TMC Chief Mamata Banerjee એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા


ભાજપ વિધાયક આશીષ શેલાસે કહ્યું કે બંગાળમાં હિંસાનું જે તાંડવ ચાલુ છે તેના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે બંગાળમાં ભાજપના કાર્યકરો અને હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. આ સાથે જ ભાજપના વોટર્સ અને ટીએમસીના વિરોધીઓ સાથે હિંસા થઈ રહી છે. 


Corona Update: કોરોનાના નવા કેસમાં વળી પાછો તોતિંગ વધારો, 3700થી વધુ લોકોના મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube