નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં પાસ કરાયેલા પ્રસ્તાવ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પલટવાર કર્યો છે અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે નામ લીધા વગર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના હાલના નિવેદનોની ટીકા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના આચરણથી દુ:ખ, પણ આશ્ચર્ય નહીં: જેપી નડ્ડા
પત્રમાં જેપી નડ્ડા (JP Nadda) એ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને લખ્યું છે કે 'આજના સમયમાં કોંગ્રેસનું આચરણ દુ:ખી કરનારું છે. પરંતુ મને આશ્ચર્ય નથી થયું. તમારી પાર્ટીના કેટલાક સભ્યો લોકોની મદદ કરવામાં પ્રશંસનીય કામ કરી રહ્યા છે, તેમની મહેનતને પાર્ટીના કેટલાક વરિષ્ઠ સભ્યો દ્વારા ફેલાવવામાં આવી રહેલી નકારાત્મકતાથી ગ્રહણ લાગે છે.'


DNA ANALYSIS: ગામડાઓમાં કેમ વધી રહ્યું છે કોરોના વાયરસનું સંક્રમણ?, આ ગ્રાઉન્ડ રિપોર્ટથી સમજો


તેમણે વધુમાં કહ્યું છે કે ભાજપ/એનડીએની સરકારવાળી રાજ્ય સરકારોએ ગરીબો અને વંછિતોને મફતમાં રસી આપવાની જાહેરાત કરી છે. મને વિશ્વાસ છે કે વિભિન્ન રાજ્યોમાં કોંગ્રેસની સરકારો પણ ગરીબો માટે વિચારશે. શું તેઓ પણ મફત રસી આપવાના નિર્ણયમાં સાથે આવી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube