નવી દિલ્હી: ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાની તબિયત લથડતા તેમને દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનામાં કોવિડ 19 જેવા લક્ષણો જોવા મળ્યા છે. બંનેની સ્થિતિ સામાન્ય જણાવાઈ રહી છે. જો કે હજુ તેમનો કોવિડ 19નો રિપોર્ટ આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના લોકોએ જણાવ્યું કે તેમના અને તેમના માતાના ગળામાં ખરાશ અને તાવના લક્ષણો જોવા મળ્યા હતાં. ત્યારબાદ સોમવારે જ ડોક્ટરોના કહેવા પર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા સાકેત સ્થિત હોસ્પિટલમાં દાખલ થઈ ગયાં. આજે બીજા દિવસે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. જો કે હજુ તેમનો કોવિડ 19 ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યો નથી જેનાથી કન્ફર્મ થયું નથી કે તેમને કોરોના વાયરસ થયો છે કે નહીં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube