મુંબઈ: પાલઘર (Palghar) માં સાધુઓની હત્યા મામલે સીબીઆઈ (CBI) તપાસની માગણી સાથે ભાજપના વિધાયક રામ કદમ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવા માટે પોતાના મુંબઈ સ્થિત ઘરેથી પાલઘર તરફ નીકળી રહ્યા હતાં. આ દરમિયાન મુંબઈ પોલીસે રામ કદમની અટકાયત કરી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની સેનાએ લદાખમાં 'માઈક્રોવેવ વેપન'નો ઉપયોગ કર્યો? જાણો ભારતીય સેનાનો જવાબ


અત્રે જણાવવાનું કે રામ કદમને મુંબઈ પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગઈ છે. પાલઘરમાં સાધુઓની થયેલી  હત્યાના વિરોધમાં ભાજપના નેતા રામ કદમ આજે જન આક્રોશ યાત્રા કાઢવાના હતા. રામ કદમના ઘરની બહાર ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત છે. 


દિલ્હીથી નોઈડા જતા લોકોના થશે કોરોના ટેસ્ટ!, રાજધાનીમાં વાયરસનો પ્રકોપ વધતા લેવાયો નિર્ણય


નોંધનીય છે કે રામ કદમના ઘરથી પાલઘરનું અંતર 110 કિમીથી વધુ છે. રામ કદમના જણાવ્યાં મુજબ 212 દિવસ થવા છતાં હજુ સુધી સાધુઓની હત્યા મામલે ન્યાય મળ્યો નથી. જો રાજ્ય સરકાર નિષ્પક્ષ રીતે આ કેસની તપાસ કરવા માંગતી હોય તો તેઓ સીબીઆઈ પાસે તપાસ કરાવે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube