કલકત્તા: પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ હુમલાનો આરોપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારઝૂડ પણ થઇ છે. આ ઉપરાંત ટીએમસી કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ વિરૂદ્ધ નારેબાજી કરી અને ધક્કા મુક્કી પણ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઇપણ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવા માગે છે ટીએમસી: દિલીપ ઘોષ
દિલીપ ઘોષ (Dilip Ghosh) એ કહ્યું કે પ્રચાર દરમિયાન સત્ત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓએ ગુંડાગર્દી તરફ ટીમએમસી કોઇપણ ચૂંટણી જીતવા માંગે છે. 



ચૂંટણી મેદાનમાં મમતા બેનર્જી
તમને જણાવી દઇએ કે ભવાનીપુર વિધાનસભા સીટ પર 30 સટેમ્બર વોટિંગ થવાનું છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ભવાનીપુર પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી મમતા બેનર્જી (Mamata Banerjee) ઉમેદવાર છે, જ્યારે ભાજપના વકીલ પ્રિયંકા ટિબરેવાલને ઉતાર્યા છે. મમતા બેનર્જીને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી બની રહેવા માટે આ ચૂંટણીમાં જીત જરૂરી છે, કારણ કે આ વર્ષે મે મહિનામાં પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેમને નંદીગ્રામ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube